ઓપનિંગ આવક નિકાલ ક્લોઝિંગ *
૩૨૬૫ ૭૭૪ ૧૩૦૮ ૨૬૩૧

ગુજરાત માહિતી આયોગ વિશે

ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહી શાશનવ્યવસ્થામાં વહીવટીતંત્રની કામગીરીને પારદર્શી બનાવવા અને સરકારના માધ્યમો પ્રજાને જવાબદાર રહે તે સહિતના વિવિધ હેતુઓ સર નાગરિકોને અમુક માહિતી પુરી પાડવા માટે સંસદ દ્વારા માહિતીનો અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ઘડવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના તા.૧૧/૧૦/૨૦૦૫ના જાહેરનામાં ક્રમાંક જીએસ/૩૨/૨૦૦૫/વીએચએસ/૧૦૦૫/આરટીઆઇ/સેલ થી ગુજરાત માહિતી આયોગની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકારના જાહેરનામાં ક્રમાંક/જીએસ/૩૪/૨૦૦૫/વીએચએસ/૧૦૦૫/૨૨૪૧/આરટીઆઇ સેલ થી ગુજરાત માહિતી આયોગનું મુખ્યમથક ગાંધીનગર જાહેર કરવામાં આવેલ છે.

હાલગુજરાત માહિતી આયોગ ખાતે એક મુખ્ય માહિતી કમિશનર તથા અન્ય પાંચ રાજ્ય માહિતી કમિશનરો મળીને કુલ ૬ માહિતી કમિશનરો ફરજ બજાવે છે.

ગુજરાત માહિતી આયોગ એ સ્વતંત્ર વૈધાનિક સંસ્થા છે.

જેના મુખ્ય કાર્યો નીચે મુજબ છે,

  • આયોગ સમક્ષ રજૂ થતી બીજીઅપીલની સુનાવણી અને નિર્ણય
  • આયોગ સમક્ષ રજૂ થતી ફરિયાદોની સુનાવણી અને નિર્ણય
  • અધિનિયમની કલમ-૪ હેઠળ સ્વયં પ્રસિધ્ધ કરવાની થતી માહિતીનું મોનીટરીંગ
  • માહિતીનો અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ની કલમ –૨૫ અન્વયે આ અધિનિયમની જોગવાઇઓના અમલીકરણ ઉપરનો અહેવાલ તૈયાર કરાવીને તેને પ્રસિધ્ધ કરવો.
  • માહિતીનો અધિકારી અધિનિયમ – ૨૦૦૫ની કલમ-૨૫ (૫) અન્વયે આ અધિનિયમની જોગવાઇઓ અને ભાવ સાથે સુસંગતતા માટે આવશ્યક પગલાંની રાજ્ય સરકારને ભલામણ કરવી.

સાઇટ પર છેલ્લું અપડેટ : ૨૧/ઓગસ્ટ/૨૦૨૫  |   મુલાકાતીઓ : ૦૧૫૫૬૮૦૯